જામનગર,
જામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. જામનગર માઁ ટાઉનહોલ ખાતે શ્રીજીશિપિંગ ના નામે આ પરિવારની મોટી ઓફિસ આવેલ છે. જેમાં અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ અને કૃષ્ણ રાજ લાલ તમામ શીપીંગ ક્ષેત્રે કાર્યરત રહે છે.
આ પરિવારની સેવા જામનગર માટે ખૂબ જાણીતી છે. હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ અનેક સેવા કાર્ય સાથે સંકળાયેલા છે. અનેક દુ:ખીયાઓ ને મદદ કરવા માટે જાણીતા છે. આપણે લાલ પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ અનોખી રીતે જીવવા માટે જાણીતું છે. અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ અને એમનાં સંતાનો લાખણી ગાડીઓ ફેરવવા માટે જાણીતા છે. આ પરિવાર દ્વારા હંમેશા કંઈક નવું કરવામાં આવે છે, જે અંતર્ગત લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરવામાં આવી છે અને આજે આ પ્લેનની ડીલીવરી પણ આવી ગઈ છે.
પ્રાઇવેટ જેટ આવ્યા બાદ સૌપ્રથમ લાલ પરિવારના વડીલો આ પ્લેનમાં બેસીને ધર્મનગરી દ્વારકા ખાતે ગયા હતા અને જગત મંદિરમાં દર્શન કર્યા હતા. પ્રાઇવેટ પ્લેન અંગે ની વાતચીત સંબંધે લાલ પરિવાર એ જણાવ્યું હતું કે સમગ્ર ખરીદી અને ડીલીવરી સહિત આ પ્રાઇવેટ પ્લેન માટે અંદાજે ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
જામનગર માટે આ ગૌરવની વાત છે કે અહીં લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં લાલ પરિવાર એવું પ્રથમ પરિવાર બન્યો છે કે જેણે પ્રાઇવેટ પ્લેન વસાવ્યું છે. લાલ પરિવારનું 10 સીટ નું આ પ્રાઇવેટ પ્લેન હાલમાં અમદાવાદ ખાતે રાખવામાં આવશે પ્લેન ની ડિલિવરી મળી હોવાથી સૌપ્રથમ પ્રાઇવેટ પ્લેન ને દ્વારકા લઈ જવામાં આવ્યો હતો. લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ જેટની ખરીદી કરવામાં આવી હોવાની વાત બહાર આવતા અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ અને મિતેશભાઇ લાલ ના મિત્ર વર્તુળ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર